કુટુંબનું (સંબંધોનું) વિઘટન

તમારાં હક્કોને બચાવવા તરત કાર્ય કરો. ફક્ત ન્યાયાલય જ તમને તમારાં ઘરમાંથી જબરદસ્તીથી બહાર કાઢી શકે છે. અગર તમે ચિંતિત છો તો એ વિશે ચર્ચા કરવા માટે તમારી નેબરહુડ ઓફીસમાં સંપર્ક કરો.

તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા

શું મારો જોડીદાર મને ઘર છોડાવી શકે છે?

અગર તમારું નામ ભાડૂતો પૈકી એક છે તો તમને રહેવાનો હક્ક છે. અગર તમે વિવાહિત છો, તો તમને બંનેને રહેવાનો હક્ક છે. અગર તમે સહમત ના થઇ શકતાં હોવ કે ઘર કોણ છોડશે તો, ફક્ત ન્યાયાલય જ એ નક્કી કરી શકે છે. અગર તમે અવિવાહિત છો અને ભાડૂત નથી તો, તમારાં માટે કયા વિકલ્પો ખુલ્લાં છે એના વિશે ચર્ચા કરવા માટે અમને સંપર્ક કરો. સલાહ લીધાં વગર જ તમારો રહેવાનો હક્ક છોડશો નહી. તમારાં હક્કો જુઓ.

ટેનન્સીનો અંત કોણ કરી શકે છે?

કોઇ પણ ભાડૂત કે જેનું નામ ટેનન્સી કરારમાં હોય તેઓ 4 અઠવાડીયા પહેલાં નોટીસ આપવાની શરતે ટેનન્સીનો અંત કરી શકે છે. અગર એક સહ ભાડૂતને ટેનન્સીમાંના તેનાં અથવા તેણીનાં ભાગનો અંત કરવો હોય તો તેઓએ અમને અને અન્ય સહ ભાડૂતને નોટીસ આપવી ફરજિયાત છે. બચેલાં સહ ભાડૂતને પોતાની મેળે જ રહેવાનો હક્ક નથી.
અગર તમારું નામ ટેનન્સી કરાર પર નથી અને તમારાં જોડીદારને ટેનન્સીનો અંત કરવો હોય તો, જેટલું જલ્દી શક્ય હોય તેટલું જલ્દી એ જાણવા માટે અમને સંપર્ક કરો કે તમે તમારાં ઘરમાં રહી શકો છો કે નહી. તમારાં હક્કો જુઓ.

અગર મારા જોડીદારે અથવા સહ ભાડૂતે ઘર છોડી દીધું છે તો શું?

અગર સહ ભાડૂત, અથવા તમારો જોડીદાર કે જે ભાડૂત છે, તેણે અમને જણાવ્યા વગર પહેલેથી જ ઘર છોડી દીધું છે તો, એ જાણવા માટે અમને સંપર્ક કરો કે તમે ઘરમાં રહી શકો છો કે નહી. અમારે તે ભાડૂતનાં નામે એક નોટીસ મોકલવાની જરૂર પડશે કે જે, તેનું નામ ટેનન્સી માંથી કાઢી નાખતાં પહેલા જ, ઘર છોડી ગયો છે.

તમારાં હક્કો

મદદ કેવી રીતે મેળવવી

દુર્વ્યવહાર અને હિંસા. અગર તમને તમારાં ઘરમાં કોઇનાં દ્વારા અથવા અગાઉનાં જોડીદાર દ્વારા ડરાવવામાં અથવા તમારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવે (શારીરિક, લૈંગિક અથવા ગાળ આપીને) તો, તમને મદદ અને સલાહની જરૂર પડી શકે છે. કાઉન્સિલ પાસે એક પ્રશિક્ષિત દળ છે જે તમને મદદ કરી શકે છે. કટોકટીની પરિસ્થિતીમાં પોલીસને પણ સંપર્ક કરો.