તમારાં ઘરમાં રહેવું
યાદ રાખો, તમે તમારાં ઘરમાં જે કરો છો તેની અસર તમારાં પાડોશીઓને થાય છે. કૃપા કરીને બીજાંની લાગણીનો વિચાર કરો.
તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા
શું હું પ્રાણીઓ પાળી શકું?
તમે સર્વ સામાન્ય એવાં પાળતુ પ્રાણીઓ જ રાખી શકો છો પણ તમે એક જવાબદાર માલિક હોવાં જોઇએ અને તમારે એ સુનિશ્ચિત કરવું જોઇએ કે તમારાં પ્રાણીઓનાં લીધે અન્ય રહેવાસીઓ અથવા અમારાં કર્મચારીઓને કોઇ ઉપદ્રવ, ખતરો અથવા આરોગ્યનું સંકટ થાય નહી. પાળેલાં પ્રાણીઓ જુઓ.
હું કચરાનો નિકાલ કેવી રીતે કરી શકું?
કાઉન્સિલ સામાન્યરીતે આપવામાં આવેલી ટોપલીઓમાંથી કચરો અઠવાડીયામાં એક વાર ભેગો કરે છે. તમારાં વિસ્તાર માટે કયો દિવસ છે તે તમારાં પાડોશીઓને પૂછો. અમે અલગ- અલગ પ્રકારનાં રીસાયકલીંગ ડબ્બાં અથવા ટોપલીઓ પણ આપીએ છીએ જેમને અઠવાડીયામાં એક વાર ખાલી કરવામાં આવે છે. તમે મોટી વસ્તુઓ અથવા મોટાં પ્રમાણમાં હોય એ કચરો તમારાં નેબરહુડ કાઉન્સિલનાં સ્કિપમાં અથવા લંડનમાં તમારાં વિસ્તારમાં આવેલાં સૌથી નજીકનાં ‘ ટિપ ’ માં ઠાલવવા લઇ જવા જોઇએ. તમે કાઉન્સિલની પર્યાવરણની સેવાઓ દ્વારા કચરા ઉપાડવાની ખાસ સુવિધા ગોઠવી શકો છો. કચરાનો નિકાલ જુઓ.
શું હું મારાં ઘરેથી ધંધો કરી શકું?
તમે અમુક પ્રકારનાં ધંધા એ શરતે ચલાવી શકો છો કે તમે આવું કરવાની લેખિત પરવાનગી અમારી પાસેથી લીધેલી હોય. તમારાં ધંધાને લીધે તમારાં પાડોશીઓને કોઇ પણ પ્રકારની તકલીફ થવી જોઇએ નહી અને તમારાં ગ્રાહકો તમારાં ઘરે આવવાં જોઇએ નહી. અલબત્ત, તમારું ઘર કોઇ પણ અનૈતિક અથવા ગેરકાયદેસર હેતુઓ માટે વપરાવું જોઇએ નહી.
હું મારાં બગીચામાં શું બદલ કરી શકું?
તમે તમારી ઇચ્છા પ્રમાણે કોઇ પણ વ્યવસ્થિત કુદરતી દેખાવને લગતું બાગ કામ અને છોડવાવવાનુ કરી શકો છો. વાડ, ઝાડો વગેરે કાઢી નાખતાં પહેલાં અથવા કાપતાં પહેલાં અમારો સંપર્ક કરવો જોઇએ. કોઇ મોટાં કામો હાથ ધરતાં પહેલાં તમારે અમારી પરવાનગીની જરૂર છે. તમારો બગીચો અને ગૅરેજ અને પાર્કિંગ જુઓ.
તમારો બગીચો
તમે જવાબદાર છો :
- બગીચાને વ્યવસ્થિત અને ગંદગીથી મુક્ત રાખવો
- પાડોશીઓને કોઇ ઉપદ્રવ ના થાય એ સુનિશ્ચિત કરવા માટે છોડવાઓની, ઝાંખરાંની વાડની અથવા ઝાડોની કાટ-છાટ અથવા કાપણી કરો
- વાડ, બગીચાનાં રસ્તાઓ અથવા બગીચાનાં વિશિષ્ટ ભાગો જેવા કે આંગણા અથવા ટેરેસ જાળવવા.
તમને અમારી લેખિત પરવાનગીની જરૂર છે :
- ગૅરેજ, છાપરું અથવા હરિત ગૃહ ઉભું કરવા માટે
- દીવાલ અથવા વાડ ઉભી કરવા માટે અથવા બદલવા માટે
- તમે ના વાવી હોય તેવી કોઇ પણ ઝાડીઓ, વાડો અથવા ઝાડોને કાપી નાખવા માટે, કાઢી નાખવા માટે અથવા નષ્ટ કરવા માટે.
પાળેલાં પ્રાણીઓ
- તમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે, તમે તમારાં પાળેલાં પ્રાણીઓને નિયંત્રણમાં રાખો છો, જેથી તેઓ ભાગી જતાં નથી અથવા મિલકત કે સામુહિક વિસ્તારોમાં નુકસાન કરતાં નથી.
- તમારાં પાળેલાં પ્રાણીઓએ તમારાં પાડોશીઓને ત્રાસ આપવો જોઇએ નહી કે ડરાવવું જોઇએ નહી. આમાં ગંદગી કરવી, અવાજ અથવા દુર્ગંધ સામેલ છે.
- તમે તમારાં પ્રાણીઓને તમારાં ઘરમાં અથવા કોઇ વિસ્તારો કે જે તમારાં પાડોશીઓ સાથે મળીને વાપરતાં હોવ ત્યાં ગંદગી કરવા દેવી જોઇએ નહી. અગર તમે તમારાં કૂતરાને જાહેર વિસ્તારોમાં અથવા ફરતી વખતે ગંદગી કરવા દીધી તો તમારે દંડ ભરવો પડશે અથવા તમને ન્યાયાલયમાં લઇ જવામાં આવશે.
- તમારાં કૂતરાને ઘરની અંદર અથવા બહાર સતત ભસવા દેશો નહી.
- અગર તમે એક જવાબદાર માલિક નથી તો અમે તમને અથવા અન્ય કોઇ જે તમારી સાથે રહેતાં હોય એમને પ્રાણી પાળવા દઇશું નહી.
કચરાનો નિકાલ
- બધો કચરો થેલીઓમાં ભરો, અને બધી થેલીઓ આપવામાં આવેલાં કચરાનાં શૂટો, સ્ટોર અથવા ટોપલીઓ માં મુકો.
- તમારાં ઘર માટે અથવા તમારી મિલકત માટે આપવામાં આવેલાં રીસાયકલીંગ ડબ્બાં વાપરીને જેટલો શક્ય હોય એટલો કચરો રીસાયકલ કરો. વહીવટી વિભાગની આસપાસ હજુ પણ વધુ રીસાયકલીંગ કેન્દ્રો છે.
- અન્નનાં બગાડને બહાર નાખશો નહી જ્યાં તે નુકસાન કારક પ્રાણીઓ જેવાં કે કબૂતરો, ઉંદરો અથવા વંદાઓને ઉત્તેજન આપે.
- મોટી વસ્તુઓ અથવા મોટાં પ્રમાણમાં જે કચરો હોય એનાંથી સુરક્ષિત પણે તમારે છૂટકારો મેળવવો જોઇએ.
