ઘર ખાલી કરવું
બધી ટેનન્સીઓનો રવિવારે અંત થાય છે, એ દિવસે નહી કે જ્યારે તમે ખાલી કરો છો.
તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા
અગર મને છોડવાની ઇચ્છા હોય તો મારે શું કરવુ જોઇએ?
તમારે જે તારીખે તમારી ટેનન્સીનો અંત કરવો હોય તેનાં ઓછામાં ઓછાં 4 અઠવાડીયા પહેલાં અમને લેખિતમાં જણાવવું જરૂરી છે. અગર તમે અમને જણાવો નહી તો અમે તમને પૂરાં 28 દિવસનાં સમયગાળાનું ભાડું લઇ શકીએ છીએ. સોમવારે ચાવીઓ તમારી નેબરહુડ ઓફીસનાં સ્વાગતકક્ષ પર પાછી આપેલી હોવી જોઇએ. તમારી ટેનન્સીનો અંત જુઓ.
મને ના જોઇતી વસ્તુ બાબત હું શું કરું?
તમે તમારું બધું રાચરચીલું, તમારી પોતાની માલિકીની વસ્તુઓ અને કોઇ પણ કચરો ઘર છોડતાં પહેલાં કાઢી નાખવા જોઇએ. અમે સામાન્યપણે મિલકતમાં રહી ગયેલી કોઇ પણ વસ્તુઓ કાઢી નાખવાં માટે તમારી પાસેથી ખર્ચ લઇશું. કાઉન્સિલની પર્યાવરણની સેવાઓનો ના જોઇતી વસ્તુઓ ભેગી કરીને લઇ જવા માટે તમારે સંપર્ક કરવો જોઇએ.
અગર મેં મારાં ઘરમાં કોઇ પણ કામ કરાવ્યું હોય તો એનું શું?
અગર તમે અમારી કોઇ પણ સ્થિર જડીત વસ્તુઓ અથવા જડેલી વસ્તુઓ કાઢી નાખી હોય તો એમને પાછી મુકવી પડશે, સિવાય કે જ્યારે તમે કામ કરવાની પરવાનગી મેળવી ત્યારે એની જરૂર ન હતી એ વાત માટે અમે સંમત થઇએ. અગર તમે વસ્તુઓ જેવી રીતે હતી એ સ્થિતીમાં પાછી ના મુકો તો અમે તમને એ છોડ્યાં પછી બનાવવાનો અને કોઇ નુકસાન થયું હોય તો એનો ખર્ચ લઇશું . તમે જ્યારે ઘર છોડીને જતાં હોવ ત્યારે અમુક પ્રકારનાં સુધારાઓ કરેલા હોય એ માટે વળતરનો દાવો કરી શકો છો જો તમે એ સુધારા કરતી વખતે અમારી સંમતિ લીધી હોય તો. તમારાં ઘરમાં સુધારાઓ જુઓ.
અગર હું છોડું અને ભાડાનું ઋણ બાકી હોય તો શું?
તમે હજુ પણ એ પૈસાં માટે જવાબદાર છો જે તમારું અમારાં પરનું ઋણ છે. અગર તમે એની અમને ચુકવવાની ગોઠવણ ના કરો તો આ મામલો ન્યાયાલયમાં જશે અને જબરદસ્તીથી તમારે ચુકવવા પડશે.
તમારી ટેનન્સીનો અંત
- સૂચના. તમારે ટેનન્સીનો અંત આણવા માટેનું પત્રક ભરી અને તમે ખાલી કરો એનાં ઓછામાં ઓછાં 28 દિવસ પહેલાં અમને આપવાની જરૂર છે.
- ચાવીઓ. તમે ઘર ખાલી કરો એટલે તરતમા જ ચાવીઓ અમને પાછી આપવી જોઇએ. અગર તમે ના આપો તો તમારે એ પાછી આપતાં સુધી ભાડું ભરવું પડશે, અને કોઇ તાળું બદલવામાં આવ્યું હોય તો એનાં પૈસાં પણ ચુકવવા પડશે.
- સમાર કામો. તમે ઘર છોડો એ પહેલાં કોઇ પણ સમાર કામો કરવા જોઇએ જે તમારી જવાબદારી છે. અમે તમારાં ઘરની તપાસણી કરીશું અને કોઇ પણ કામ કે જે તમે ના કર્યું હોય તેનાં માટે ખર્ચ ભરવો પડશે.
- સામાન ખાલી કરવો અને મિલકતની સ્વચ્છતા. તમારે તમારો બધો સામાન કાઢી લઇ જવું જોઇએ અને ઘર એકદમ ચોક્ખું કરવું જોઇએ. તમારાં ગયા બાદ અગર કોઇ સામાન કાઢવો પડે અથવા સ્વચ્છતા કરવી પડે તો તેનાં માટે ખર્ચ ભરવો પડશે. તમે ‘ સ્વચ્છ ફ્લેટ ’ પૈસાં મેળવવા માટે અરજી કરી શકો છો જે તમે કદાચ ચાવી સોંપી દીધાં બાદ મેળવી શકો છો. કદાચ અમે તમને કેટલાંક પડદાં છોડીને જવા બદલ પણ પૈસાં આપી શકીએ છીએ.
- દરેક જણે છોડવું જોઇએ. તમારાં ઘરબારનાં બધાં સદસ્યો, કોઇ પણ ભાડૂત અથવા પેટા ભાડૂતે પણ ઘર છોડી તમારી સાથે બહાર જવું પડશે.
ઘર ખાલી કરવા માટે ચેકલીસ્ટ
ચાવીઓ પાછી આપતાં પહેલાં, એ સુનિશ્ચિત કરો કે :
- તમે ભાડા અથવા ખર્ચ માટે ઋણી હોવ તે ભર્યું છે
- મિલકત સ્વચ્છ છે અને તમે બધા વર્કટૉપ્સ, સિલ્સ, રસોડાનાં કબાટો અને જમીનની લાદીઓ બધાં લૂછેલાં છે
- તમારું બધું રાચરચીલું, ગાલિચા અને બધી વસ્તુઓ કાઢી નાખેલી હોવી જોઇએ, શેડ અને માળિયાઓ પર રાખેલી વસ્તુઓ સહિત, અને ઘરમાં અથવા બગીચામાં કોઇ પણ ગંદકી બાકી રહેવી જોઇએ નહી
- જે તમારી જવાબદારી હોય એવાં સમાર કામો અથવા ફેર-સજાવટ તમે કરી છે
- તમે ગૅસ, વીજળી, અને ટેલીફોન કંપનીઓને સંપર્ક કરેલો છે. તમારાં આખરી બિલોની તપાસણી માટે મીટર રિડીંગની નોંધ રાખો
- કાઉન્સિલ ટૅક્સ ઓફીસને તમે જણાવો કે તમે ઘર ખાલી કરી રહ્યાં છો
- તમે કોઇ પણ ગૅસ ઉપકરણો, કૂકરનાં સમાવેશ સહિત, સાથે લઈ જવાના છો તેના જોડાણ કાઢી નાખવાની વ્યવસ્થા કરી છે
- તમારી ટપાલ નવા સરનામાં પર મોકલવાની તમે ગોઠવણ કરી છે
- અગર તમે હાઉસીંગ બેનિફીટનો દાવો કર્યો હોય તો, તમે બેનિફીટ એજન્સી અને બેનિફીટ દળને જણાવ્યું છે કે તમે ઘર ખાલી કરી રહ્યાં છો અને તમારું નવું સરનામું એમને આપ્યું છે.
